Aptavani Establishes And Perpetuates New Era Of Of Self Knowledge
કોઈ શાસ્ત્રનો આધાર નથી, કોઈ પુસ્તકનાં આધારે આ બોલ્યા નથી. અમે જોઈને બધું કહીએ છીએ આ. એટલે અમને જે જ્ઞાન થયેલું એના આધારે અમે જોયું કે, \'આત્મા શું છે ? હું કોણ છું ? જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ?\' એ બધું દેખાયંુ ને તે બધું જેમ છે તેમ કહી નાખ્યું. જગત લૌકિક જાણે છે, અલૌકિક જાણતું નથી. અમે અલૌકિક વાત આ પુસ્તકમાં કરી છે, જે અમે વાસ્તવિક જોયું તે ! જગતના લોકો વાસ્તવિક શું છે તે ખોળે છે. અમે આમાં કહ્યું છે તે બધું વાસ્તવિક કહ્યું છે. બહુ દહાડા લૌકિક સાંભળ્યું અને વાસ્તવિક સાંભળે ત્યારે આ પઝલનું સોલ્યુશન આવે !!