Aptavani Establishes And Perpetuates New Era Of Of Self Knowledge
આ આપ્તવાણીનું પુસ્તક તો ઓર જ જાતનું છે. અનુભવ વાણી કોઈ દહાડોય હોય જ નહીંને ! અધ્યાત્મના અનુભવનું પુસ્તક હોઈ શકે નહીં. તે આ આપ્તવાણીમાં એ અનુભવ જ છે, દ્રષ્ટાંતો જ અનુભવના છે. અમે ડુંગરની ઉપર રહીને બધું ડુંગરનું વર્ણન કર્યું છે. કોઈ જગ્યાએ પૂરેપૂરો અનુભવ બહાર પડેલો જ નથી. કારણ કે આ લોકોને અનુભવના સ્ટેશને આવીને \'અનુભવ શું છે\' એટલો થોડો ભાગ બહાર પડ્યો છે ને બીજો બધો આગળ અનુભવ કહેવાનું બંધ થઈ ગયું છે. જ્યારે આપણી આ આપ્તવાણી તો પૂર્ણ અનુભવની જ વાણી છે અને આ અનુભવની વાણી તો ઠેઠ સુધી ચાલશે.