1. અમદાવાદ 7અમદાવાદ, સોમવાર, 16 માર્ચ, 2015
ક્રાઈમરિપોર્ટર,અમદાવાદ
સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી
પોરબંદરના તેજસ જોષીને ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે
પોર્ટુગલના નકલી પાસપોર્ટ રાખવાના ગુનામાં
ઝડપી લીધો છે. પોરબંદરનો રહેવાસી તેજસ જોષી
વિઝા પૂરા થતા 2009માં યુ.કે થી અમદાવાદ
આવ્યો હતો. તેજસે ગોવા જઈ નકલી પોર્ટુગીઝ
પાસપોર્ટના આધારે યુકે જવાનો પ્લાન ઘડ્યો હતો.
જેથી તેજસે પોતાના નામમાં ફેરફાર કરી તેજસના
નામનો નકલી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવ્યો હતો.
યુકે જવા માટે શનિવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ
પર પહોંચતા ઝડપાઈ ગયો હતો.
ખોટાપોર્ટુગીઝપાસપોર્ટ
સાથેયુવકનીધરપકડક્રાઈમરિપોર્ટર.અમદાવાદ
કુખ્યાત વિશાલ ગોસ્વામીના ભય
હેઠળ ધંધો કરતા શહેરના સાત
જ્વેલર્સને પોલીસ પ્રોટેકશન અપાઈ
રહ્યું છે. પંકજ સોની અને પ્રકાશ
સોનીની ગોળી મારી હત્યા કરનાર
વિશાલને પકડવામાં નિષ્ફળ નિવડી
રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
સોનીઓને સુરક્ષા આપવાની વાતો
કરે છે. શુક્રવારે ભાનુ જ્વેલર્સના
માલિકો પરના ફાયરિંગમાં ક્રાઈમ
બ્રાન્ચ વિશાલના આતંકને ડામવામાં
પાંગળી સાબિત થઈ છે.
વિશાલકેસ:7જ્વેલર્સને
પોલીસપ્રોટેક્શન
ભાસ્કરન્યૂઝ. અમદાવાદ
રાજસ્થાનથી બોલેરો જીપમાં દારૂની 720
બોટલો લઇને દાણીલીમડા ઠાકોરવાસમાં
આવીને કટિંગ કરી રહેલા ખેપિયા સિદ્દીક
શેખ અને દારૂનો જથ્થો લેવા આવેલા
બુટલેગર શોએક કુરેશીને પીસીબીએ રંગે
હાથે ઝડપી લઇ દારૂનો જથ્થો,બોલેરો
જીપ,તેમજ રિક્ષા વગેરે મળીને કુલ
રૂ.7.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દાણીલીમડા ઠાકોરવાસની ખુલ્લી
જગ્યામાં રવિવારે જીપમાંથી દારૂની
બોટલોનું કટિંગ કરીને નાના વાહનોમાં
ભરીને બુટલેગરો સુધી પહોંચાડાતાની
બાતમીના આધારે પીસીબી પીઆઈ
કે.આઈ.મોદીએ સ્ટાફ સાથે દરોડો પાડ્યો
હતો.સ્થળ પરથી એક બોલેરો જીપ,એક
રિક્ષા મોબાઈલ ફોન તેમજ દારૂની
720 બોટલો મળી આવી હતી. પોલીસે
સિદ્દીકભાઇ શેખઅને શોએબ કુરેશીને
ઝડપી લીધા હતા.
રાજસ્થાનથીદારૂની720બોટલો
લઇનેઆવેલોબુટલેગરપકડાયો
4માર્ચનીફરિયાદ:પોલીસનાઆંખઆડાકાન
ભાસ્કરન્યૂઝ.અમદાવાદ
ખંડણીખોર વિશાલ ગોસ્વામી
ઉર્ફે વીકીએ 1 નવેમ્બર 2013
ના ધનતેરસની રાતે સોલા બ્રિજ
નીચેથી પસાર થઇ રહેલા ગોલ્ડ
પેલેસ જ્વેલર્સના માલિક પ્રકાશભાઇ
પટેલ ઉપર બે રાઉન્ડ ગોળીબાર કર્યો
હતો.સદનસીબે પ્રકાશભાઇને એક
પણ ગોળી વાગી ન હતી.ત્યારબાદ
વિશાલ અને તેના સાગરીતોએ
અમદાવાદમાં સોનીઓ ઉપર કરેલા
ગોળીબાર અને લૂંટના પગલે પોલીસે
અત્યાર સુધીમાં વિશાલના ભાઇ
વિજેન્દ્ર સહિત 9 લુટારુઓની ધરપકડ
કરી છે.કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે
ત્યારે વિશાલે પ્રકાશભાઇ પટેલને
આ કેસમાં જુબાની નહીં આપવા
માટે ફોન ઉપર ધમકી આપી છે.
વિશાલે તા.1-2 માર્ચ 2015 ના રોજ
પ્રકાશભાઇને ફોન કરીને ધમકી આપી
હતી કે તું કોર્ટ મેં જુબાની મત દેના
વર્ના તેરા ભી હાલ પ્રકાશ સોની અને
પંકજ સોની જૈસા હોગા. પ્રકાશભાઇ
પટેલે 4 માર્ચના સોલા હાઈકોર્ટ
પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવી છે.
કોર્ટમેંજાયેગાતોતેરાહાલપ્રકાશ
સોનીજૈસાહોગા:સોનીનેધમકી
^વિશાલ ગોસ્વામી એ ફોન
ઉપર ધમકી આપી હોવા
અંગે પ્રકાશભાઇ પટેલે 4 માર્ચ ના
ફરિયાદ નોંધાવી છે.રાણીપ પોલીસ
દ્વારા તેમને પોલીસ પ્રોટેકશન
આપવામાં આવ્યું છે.
> બી.વી.ગોહિલ , પીઆઈ,સોલા
હાઈકોર્ટ પોલીસ સ્ટેશન
દેશભરમાંવિશાલના
150માણસોનીગેંગ
વિશાલની ગેંગના 9 સભ્યોની
પોલીસે અત્યાર સુધીમાં ધરપકડ
કરી છે. વિશાલના ભાઇ વિજેન્દ્રનો
પણ સમાવેશ થાય છે.પકડાયેલાની
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું
હતું કે ગુજરાત ઉપરાંત કર્ણાટક,
રાજસ્થાન,મહારાષ્ટ્ર,દિલ્હી,યુપી
અને એમપી સહિતના રાજ્યોમાં
વિશાલ ગોસ્વામીનું નેટવર્ક છે.
તેની ગેંગના 150 જેટલા સાગરીતો
આ તમામ રાજ્યોમાં ફેલાયેલા છે.
પ્રકાશભાઇનેપોલીસ
પ્રોટેકશનઅપાયુંછે
આ નેગેટિવ સમાચાર તમારા માટે જાણવા જરૂરી છે
નેગેટિવ ન્યૂઝ સેક્શન
પ્રકાશ સોની પર થયેલા ફાયરિંગ અને ત્યારબાદની ધમકીને પગલે પ્રહલાદનગર ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં
આવ્યંું હતું. જેને પગલે કારની લાંબી કતાર લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, પોલીસ વિશાલને પકડવા એડીચોટીનું જોર લગાવી રહી છે.
પોલીસદ્વારાસઘનચેકિંગકરાતાટ્રાફિકજામ
ક્રાઈમરિપોર્ટર,અમદાવાદ
વસ્ત્રાલ ગેસ ગળતર પ્રકરણમાં
રામોલ પોલીસની તપાસમાં
ગોવા રબારી, કાનજી રબારી
અને જગદીશ પટેલ નામના ત્રણ
શખસોના નામ ખૂલતા તેમની
પૂછપરછ હાથ ધરી છે. જગદીશ
પટેલ પોતાના ટેન્કરમાં જલદ
કેમિકલ ભરી લાવી તેને રેસિડેન્સ
એરિયામાં આવેલા ગટર લાઈનોમાં
ઠાલવતો હતો. જ્યારે ગોવા રબારી
કેમિકલ કંપનીમાં વચેટિયો રહેતો.
ગોવા રબારીએ લીધેલા કોન્ટ્રાક્ટ
હેઠળ જગદીશ પટેલ તેના ટેન્કરમાં
જલદ કેમિકલ ભરીને ગટર
લાઈનમાં કેમિકલને ઠાલવતો હતો.
પોલીસેત્રણની
અટકાયતકરી
વસ્ત્રાલગેસગળતર
ઈજનેરીકોલેજોમાં
26 કલાક શિક્ષણ
સામેવ્યાપકરોષભાસ્કરન્યૂઝ.અમદાવાદ
ગુજરાત રાજ્યની સરકારી ડિગ્રી
ઈજનેરી કોલેજોમાં એક તરફ કાયમી
અધ્યાપકોની ભરતી કરાઈ નથી,
તેવામાં શિક્ષણ વિભાગે અધ્યાપકોને
માટે 26 કલાક ફરજિયાત ભણાવવા
માટેનો અન્યાયી પરીપત્ર કરાયો
હોવાનો આક્ષેેપ કોંગ્રેસ પક્ષે કર્યો
છે. કોંગ્રેસના પ્રવક્તા ડો મનીષ
દોશીએ જણાવ્યું છે કે સરકારી
ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં
મોટાપાયે અધ્યાપકોની જગ્યાઓ
ખાલી જગ્યા છે. આ ઉપરાંત ભાજપ
સરકારે સામાન્ય અને મધ્યમ વર્ગના
વિદ્યાર્થીઓને ઓછીમાં શિક્ષણ ન
મળે તે માટે સરકારી અને ગ્રાન્ટેડ
સંસ્થાઓનું માળખુ તોડી પાડવાની
ભાજપ સરકારે નીતિ અખત્યાર કરી
છે જેને ચલાવી નહીં લેવાય.
ક્રાઇમ ન્યૂઝ
અમદાવાદ | શહેરના નહેરુબ્રિજ નીચેથી રવિવારે સાંજે
એક યુવાનની લાશ મળી આવી હતી. 17થી 18 વર્ષના
આ યુવાન પાસેથી કોઇ પ્રકારની ઓળખ મળી આવી
ન હતી પરંતુ તેના ટેટૂ પરથી તેનું નામ સૂરજ હોવાનું
માલૂમ પડ્યું હતું. ફાયરના જવાનોએ યુવાનની લાશને
પાણીમાંથી નીકાળી પોલીસને સોંપી હતી.
નહેરુબ્રિજનીચેથીઅજાણ્યા
યુવાનનીલાશમળી
અમદાવાદ | શાહપુર મહેસાણિયા વાસમાં રહેતા
ઇસ્લામખાન બાદરખાન પઠાણનો પુત્ર આમિરખાન
ઉ. 15ને તા. 13 માર્ચના રોજ પોતાના ઘર નજીકથી
અજાણી વ્યક્તિ અપહરણ કરી ગયાની ફરિયાદ
નોંધાવી હતી. આ બનાવને પગલે ચકચાર ફેલાઈ છે.
પુત્રનુંઅપહરણથયાનીપિતાએ
શાહપુરપોલીસમાંફરિયાદનોંધાવી
અમદાવાદ | નરોડા રોડ દિલ્લીવાળી ચાલીમાં રહેતા
સંતરામસિંહ ચુન્નિસિંહ ભદોરિયાએ શહેરકોટડા
પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે, તા. 11
માર્ચના રોજ ઘર નજીકથી પોતાની પુત્રી સોમવતીનું
(15)ની અજાણી વ્યક્તિ અપહરણ કરી લઇ ગયા હતા.
અજાણીવ્યક્તિએસગીરાનું
અપહરણકર્યાનીપિતાનીફરિયાદ
અમદાવાદ | વટવા વેટિકન ચોકી પાસે પોલીસ સ્ટાફ
પેટ્રોલિંગમાં હતો તે સમયે એક ઓટોરિક્ષાની તપાસ
કરતા તેમાંથી ચોરીની ઇલેક્ટ્રિક મોટર મળી આવી
હતી. આ અંગે આરોપી ભરત રાઠોડ, ઇમરાન, રાકેશ
અને સંજય ચૌધરીની અટક કરીને પોલીસે રિક્ષાને
પણ કબજે કરી હતી.
વટવામાંઓટોરિક્ષાનીતપાસકરતા
ચોરેલીઇલેક્ટ્રિકમોટરમળી
અમદાવાદ | ઘાટલોડિયા મનમંદિર સોસાયટી ખાતે
રહેતાં રઇબહેન 13મીએ રિક્ષામાં જૂના વાડજથી
પોતાના ઘરે જતાં હતાં ત્યારે બે અજાણ્યા પુરુષ તથા
એક સ્ત્રીએ ભેગા મળી તેમની નજર ચૂકવી થેલામાંથી
~ 80 હજારના સોનાના દાગીના ચોરી ગયા હતા. આ
અંગે ઘાટલોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
રિક્ષાનીમુસાફરીદરમિયાન80
હજારનાદાગીનાનીચોરી
અમદાવાદ | શહેરના વાડજ શિવશક્તિ સોસાયટીમાં
રહેતા રમેશભાઇ સુથારે નારાયણપુરા પોલીસ
સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, 14મીએ તેમની
માતા સવિતાબહેન દૂધ લેવા ગયા ત્યારે અજાણ્યા
વાહનચાલકે ટક્કર મારતા ઈજાથી તેનું મોત થયું હતું.
વાડજમાંવાહનઅકસ્માતથી
મહિલાનું મોતનીપજ્યું
ફોટો સ્ટોરી
ભાસ્કર/અમદાવાદ
અમદાવાદ શહેરમાં પહેલીવાર અદ્યતન પે એન્ડ યૂઝ સ્નાન અને
શૌચાલય અમદાવાદ મ્યુ.કોર્પોરેશન દ્વારા બનાવાયું.રાજ્ય સરકારનો
ઘેર ઘેર શૌચાલયના અભિયાન અંતર્ગત કોર્પો.એ પણ હયાત પે એન્ડ
યૂઝને પણ વપરાશલાયક બનાવવા અને તેની સ્વચ્છતા જળવાઈ રહે
તે માટે તંત્રને સતત જુદા-જુદા નિર્દેશ જારી કર્યા છે.આ ઉપરાંત,ખુદ
કોર્પો. દ્વારા પણ અત્યાર સુધી ન બન્યા હોય તેવા પે એન્ડ યુઝ સ્નાન
અને શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ ટોઈલેટમાં
કોઈ મોલની જેમ ગ્રેનાઈટ અને આધુનિક ડિઝાઈનર ઇક્વિપમેન્ટ્સનો
ઉપયોગ કરવામાં આવ્યો છે.
મ્યુનિ.નાટોઈલેટમાંમોલજેવાડિઝાઈનરઇક્વિપમેન્ટ્સલાગ્યા!!
3મહિનામાંનદીમાંઝંપલાવનારા
12નેરેસ્ક્યુટીમેનવજીવનઆપ્યું
લાઇફગાર્ડ|રેસ્ક્યુઓપરેશનમાંઉપયોગમાંલેવાતીસ્પીડબોટમદદગાર
ભાસ્કરન્યૂઝ.અમદાવાદ
સાબરમતી નદી પરના આઠ બ્રિજ
પરથી ઝંપલાવી અમૂલ્ય જીવન
ટૂંકાવતા લોકોના જીવ બચાવવાની
કામગીરી કરતી ફાયરબ્રિગેડની
રેસ્ક્યુ ટીમે ત્રણ મહિનામાં સ્પીડ
બોટ થકી 12ને નવજીવન આપ્યું
છે. અમદાવાદમાં રોજ સરેરાશ
એક વ્યક્તિ નદીમાં પડતું મૂકે છે.
હાલ સાબરમતી વલ્લભસદન
ખાતે ફાયરબ્રિગેડની એક સ્પીડ
બોટ સહિત ફાયરબ્રિગેડના જવાનો
કાયમી પોઇન્ટ બનાવી તમામ બ્રિજ
વચ્ચે પેટ્રોલિંગ કરે છે.
રેસ્ક્યુટીમઆત્મહત્યાનુંપ્રમાણશૂન્યકરવાસક્ષમ
વધુસ્પીડબોટનોઉપયોગથાયતોવધુજીવબચીશકે
} સ્પીડ બોટમાં હેડ લાઇટ ન હોવાથી રાત્રે સર્ચ થઈ શકતું નથી.
} ફાયર પાસે 25 બોટ છે, તેમાંથી 10 પેટ્રોલિંગમાં મૂકે તો વધુ જીવ બચે.
} બોટ સાથે પૂરતો સ્ટાફ હોય તો આપઘાતનંુ પ્રમાણ રોકી શકાશે.
^તમામ બ્રિજ વચ્ચે એકથી વધુ સ્પીડ
બોટ થકી પેટ્રોલિંગ કરવાથી વધુ
જીવ બચાવી શકશે, પણ પૂરતો સ્ટાફ
નથી. રેસ્ક્યુ ટીમ આપઘાતનું પ્રમાણ
શૂન્ય કરવા સક્ષમ છે.
> એમ.એફ.દસ્તૂર, ચીફ ફાયર ઓફિસર
ડો.નિશાશાહવિરુદ્ધ
રાજ્યપાલનેરજૂઆત
કરવામાંઆવશેએજ્યુકેશનરિપોર્ટિર.અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ
ફેકલ્ટીનાં ડીન નિશા શાહે
છેલ્લા કેટલાક સમયથી ગુજરાત
યુનિવર્સિટી સત્તા મંડળ અને
યુનિવર્સિટીની નીતિરીતિની સામે
અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. તાજેતરમાં
યુનિ.માં નેકના ઈન્સ્પેકશન માટે
આવેલી નવ સભ્યોની ટીમ સમક્ષ
પણ સાયન્સ ફેકલ્ટીના ડીને તેમની
સાથે ભેદભાવ દાખવ્યો હોવાની
લેખિતમાં રજૂઆત કરી હતી. જેના
અનુસંધાનમાં નેકની ટીમે કુલપતિ
ડો.એમ.એન.પટેલને સાયન્સ
ફેકલ્ટીના ડીનની સામે કાર્યવાહી
કરવાનું સૂચન કરતાં હવે તેમણે આ
અંગે રાજ્યપાલને ફરિયાદ કરવાનો
નિર્ણય લીધો છે.
ભાસ્કરન્યૂઝ.અમદાવાદ
ગુજરાત રાજ્યની સરકારી
ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા
અધ્યાપકોનો વર્કલોડ વધારીને 26
કલાક કરવાના વિરોધમાં,એડહોક
અધ્યાપકોને મળવાપાત્ર લાભ
અપાય,એમફીલ-પીએચડી થયેલા
ઉમેદવારોને પ્રમોશનનો લાભ,
અધ્યાપકોને કેરિયર એડ્વાન્સમેન્ટ
સ્કીમનો લાભ આપવામાં આવે
તેવી માંગણી સાથે અધ્યાપક 19મી
માર્ચથી આંદોલનનો પ્રારંભ કરી
રહ્યા છે. સરકારી ઈજનેરી કોલેજ
શૈક્ષણિક ટીચર્સ એસો.ના નેજા હેઠળ
અધ્યાપકો પ્રથમ સપ્તાહ દરમિયાન
માથે સફેદ ટોપી તેમજ કપડા પર
કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્ણ
રીતે પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ
લાવવા માટેની માંગણી કરશે.
જ્યારે તે પછીના સપ્તાહે
સરકારી ઈજનેરી કોલેજના
અધ્યાપકો માસ સીએલ પર ઉતરી
જઈને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શિત-
આંદોલનનો કાર્યક્રમ રાખવાના છે.
આ કાર્યક્રમો આગામી તબક્કે વધુ
ઉગ્ર બની શકે છે.
કરિયરએડ્વાન્સમેન્ટસહિતનાલાભોનીમાંગ
ઈજનેરીકોલેજોનાપ્રશ્નોના
ઉકેલમાટે19મીથીઆંદોલન
એજ્યુકેશનલરિપોર્ટર.અમદાવાદ
સમાજ વિદ્યાભવનના પોલિટિકલ
સાયન્સ વિભાગના વડા ડો.
શરમણ ઝાલા દ્વારા મહિલા
અધ્યાપિકાઓને લખવામાં આવેલા
અશ્લીલ પત્રકાંડની સ્વતંત્ર તપાસ
માટે ગુજરાત યુનિ. દ્વારા નિયુક્ત
કરેલ જસ્ટિસ પી.જે. ધોળકિયા
પંચે તપાસ પૂર્ણ કરીને આ અંગેનો
રિપોર્ટ ગુજરાત યુનિ.માં સુપરત કર્યો
છે. આ રિપોર્ટમાં અશ્લીલ પત્રકાંડ
અંતર્ગત પ્રો. ઝાલાની ભૂમિકા
શંકાના દાયરામાં અાવી ગઈ હોવાનુ
જાણવા મળ્યું છે.
ગુજ. યુનિ. કેમ્પસમાં આવેલા
સમાજવિદ્યા ભવનમાં પોલિટિકલ
સાયન્સ વિભાગના વડા ડો ઝાલા
દ્વારા ભવનમાં ફરજ બજાવતા
મહિલા પ્રોફેસરોને અશ્લીલ પત્ર
લખાયો હોવાનું પ્રકરણ બહાર આવ્યું
હતું. જે અંતર્ગત મહિલા પોલીસ
સ્ટેશન, ડબ્લ્યૂડીસી સહિતના વિવિધ
પદાધિકારીઓ સમક્ષ લેખિતમાં
રજૂઆત કરાઈ હતી. જેના પગલે
પ્રો. ઝાલાની ધરપકડ કરાઈ હતી
અને ત્યાર બાદ તેમને જામીન પર
મુક્ત કરવામાં આવ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ
સમગ્ર પ્રકરણની તપાસ ગુજ.
યુનિ.ની ફેક્ટ ફાઈન્ડિંગને સોંપવામાં
આવી હતી. જે અંતર્ગત આ કમિટી
દ્વારા પ્રો ઝાલાને દોષિત ઠેરવવામાં
આવ્યા હતા. જો કે ગુજ. યુનિ.
દ્વારા પોલિટિકલ સાયન્સ વિભાગના
પ્રો. શરમણ ઝાલાની સામે લીગલ
એક્સપર્ટને તપાસ સોંપાઈ હતી.
જેના આધારે પગલા લેવાયા છે.
અશ્લીલપત્રકાંડ|સમિતિએરિપોર્ટયુિન.નેસોંપ્યો
પ્રો.ઝાલાનીભૂમિકાશંકાસ્પદ
હોવાનોરિપોર્ટમાંઉલ્લેખ
ફેક્ટફાઈન્ડિંગકમિટીએ
ઝાલાનેદોષિતઠેરવ્યાહતા
‘છુંજખ્મીતોભલે,પણલડવુંએતોમારીિફતરતછે’
હિમોફેલિયાથી રાહત સામાન્યઠેસથીપણ‘ઈન્ટરનલબ્લિડિંગ’નારોગથીનાસીપાસથયાવિનાબીજાનેરાહતમાટેછેકસુધીલડતચલાવી
લાગણીથી હાથ લંબાવ તો ગમશે પણ, તારી
લાચારીભરી નજર નહીં જીરવી શકું..આ શબ્દો
છે હિમોફેલિયાથી પીડાતા બ્રિજેશ મોદીના.
શહેરના જજિસ બંગલા રોડ પરના બાલાજી
એવન્યુમાં રહેતા અને સિવિયર હિમોફેલિયાથી
પીડાતા બ્રિજેશ મોદી ચાલે અને ઠેસ વાગે તો
પણ શરીરમાં આંતરિક બ્લિડિંગ થવા લાગે
અને સોજા આવી જાય. બ્લિડિંગ બંધ કરવા
માટે રૂ. 12 હજારની કિંમતના ઇન્જેકશનો
આપવા પડે, કેટલા આપવા પડે તે નક્કી નહીં !
આ રીતે આર્થિક પાયમાલીમાં ધકેલાઈ જવાની
સ્થિતિ આવી હોવા છતાં પિતાના અવસાન
બાદ વારસામાં મળેલી અનાજ દળવાની ફલોર
મિલ ચલાવીને આઠ પરિવારનું ગુજરાન ચાલે
તેવો વ્યવસાય આજે પણ તેઓ હિંમતભેર
કરે છે.
હિમોફેલિયાનેહુંઅભિશાપનહીંપણભગવાનેઆપેલીબમ્પરલોટરી ગણુંછું:બ્રિજેશમોદી
હું તમારી જેમ સામાન્ય વ્યક્તિ નથી, અસામાન્ય
છું, કારણ કે ભગવાને મને હિમોફેલિયા નામની
બમ્પર લોટરી આપે છે. તમે બધા જીવો છો બરાબર
પણ હું કંઇક અલગ અંદાજથી જીવું છું. ઘરે જ
ઓક્સિજન પેટી, ઓક્સિજન સિલિન્ડર, બાટલો
ચડાવવાનું સ્ટેન્ડ, વ્હીલચેર, વોકર, બ્લડ પ્રેશર
માપવાનું સાધન, ઘોડી, ઓક્સિજન મીટર,પેડ
સાઈકલ રાખું છું, ગમે ત્યારે જરૂર પડે.
મોદીસાથેરજૂઆતબાદવિનામૂલ્યેસારવારઉપલબ્ધથઈહતી
ગુજરાત હિમોફેલિયા સોસાયટી તરફથી બ્રિજેશ મોદી ઉપરાંત એમ.એમ.હુસૈની, નિમેશ પ્રજાપતિ,
કુમારપાલ મોદી સહિતના આગેવાનોએ અવારનવાર આરોગ્ય વિભાગને રજૂઆત કરી. છેવટે આરોગ્ય
વિભાગ સહમત થતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજાઇ હતી. આ મુલાકાતમાં
સતત 20 મિનિટ સુધી આ દર્દ વિશે તેમને રજૂઆત કરી હતી. અંતે રાજ્યની તમામ સરકારી
હોસ્પિટલમાં હિમોફેલિયાના દર્દી માટે ફેકટરના ઇન્જેકશન ઉપરાંત સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ થાય
તેની મંજૂરી મળી હતી.
હિમોફેલિયાશુંછે
હિમોફેલિયા એટલે એવી
બીમારી કે જેમાં લોહીમાં
આવતા 13 તત્વો પૈકી એક
તત્વ કે જે લોહીને ગંઠાવે તે
ન હોય. આ તત્વ ન હોય
એટલે સહેજ પણ વાગે તો
લોહી નીકળે અને તે બંધ જ
ન થાય. સામાન્ય લોકોને
લોહી બંધ થાય પણ આ
દર્દીઓને બહારથી ફેકટર
નામનું ઇંજેકશન અપાય તો
લોહી બંધ થાય. હિમોફેલિયા
લો, મીડિયમ, હાઇ(સિવિયર)
એમ ત્રણ કક્ષાનો થાય છે.
દિનેશજોષી.અમદાવાદ
reporterjoshid@