1. સોમવાર અમદાવાદ|29ડિસેમ્બર,2014 કલોલ } દહેગામ } માણસા .9
સરકારીકર્મચારીઓમાટેહવેહાઇરાઇઝઅેપાર્ટમેન્ટપાટનગરમાંતોડીપાડવાના
સરકારીઆવાસનાનિકાલબાદ
આયોજનાપરકામકરાશે
ભાસ્કરન્યૂઝગાંધીનગર
ગાંધીનગરમાં સરકારી અધિકારી
કર્મચારીઓને રહેણાંકની સુવિધા આપવા
માટે વિવિધ કક્ષાના આવાસ બાંધવામાં
આવ્યા તેને ત્રણ દાયકાથી વધુ સમય પસાર
થઇ ગયો છે. આજના દિવસોમાં તમામ
ક્ષેત્રે જરૂરત બદલાઇ હોવાથી પાટનગરમાં
આગામી દિવસોમાં સરકારી કર્મચારીઓને
રહેવા આપવા માટે હાઇરાઇઝ અેપાર્ટમેન્ટ
બાંધવાની દિશામાં સરકારે વિચારણા શરૂ
કરી છે. ભૂતકાળમાં બાંધેલા અને જોખમી
બન્યાપછીઉતારીલેવામાટેનિયતકરાયેલા
આવાસોનો નિકાલ કરાયા બાદ આ યોજના
પર કામ શરૂ કરાશે.
મહાનુભાવથી માંડીને પટાવાળા
સુધીનીકક્ષાનાપરિવારનેરહેઠાણનીસુવિધા
આપવા માટે પાટનગરમાં 7 રૂમ રસોડાથી
માંડીને 1 રૂમ રસોડાના આવાસ જુદા જુદા
સેક્ટરમાં બાંધવામાં આવ્યાં છે. આ પૈકીના
8,400 જેટલા આવાસ હાલમાં વપરાશમાં
લેવાઇ રહ્યાં છે. કુલ 1,904 જેટલા બે અને
ત્રણ માળના ફ્લેટ ટાઇપ બ્લોક્સ તોડી
પાડવા માટે નિયત કરી દેવામાં આવ્યાં
છે અને ઘણા બ્લોક્સ રહેવા લાયક રહ્યાં
નથી. પરિણામે પાટનગરમાં નવી આવાસ
વ્યવસ્થા ઉભી કરવાનું અનિવાર્ય બની ગયું
છે. આગામી દિવસોમાં એક જ જગ્યાએ
વધુ પરિવારો માટે આવાસ સુવિધા ઉભી
કરવાની યોજના વિચારણામાં લેવાઇ છે.
કેમ કે તેનાથી જમીન અને ખર્ચ
બન્નેમાં મોટી બચત થઇ શકે છે. તેની
સાથે જ નિભાવણીનું કામ સરળ થવાની
સાથે તેમાં ઘણી ઝડપ પણ લાવી શકાય
છે. પાટનગરમાં જે સરકારી આવાસના
બ્લોક્સ ઉતારી લેવાના નક્કી કરી દેવાયા
છે. તે જમીનનો જ ઉપયોગ કરી શકાય તેમ
છે. આવી કોલોની ઉભી કરવાથી એક જ
સ્થળે સેંકડો પરિવારને સમાવી શકાય અને
તેઓના કામના સ્થળ પણ નજીકમાં રાખી
શકાય છે.
સાઇટનીપસંદગીનીકવાયતબાદમાંકરાશે
પાટનગરમાં ક્યા સ્થળે હાઇરાઇઝ સરકારી રહેણાંક વસાહત ઉભી કરવી તે મામલે
હજુ કોઇ નિર્ણય સ્વાભાવિક રીતે જ લેવાયો નથી. એક વાર આ યોજના પર આગળ
વધવાનું નક્કી થયા પછી સાઇટ પસંદગીની કવાયત કરાશે. પરંતુ તે જગ્યા 30
સેક્ટરની બહારની હશે નહીં.
દરેકખુલ્લીજમીનઇયરમાર્કકરેલીછે
સરકાર દ્વારા પાટનગરમાં હાલમાં ખુલ્લી અને ફાજલ પડી રહ્યાં જેવી દેખાતી તમામ
જમીન વિવિધ હેતુ માટે ઇયરમાર્ક કરી દેવામાં આવેલી હોવાથી જોખમી બ્લોક્સ ઉતારી
લેવાના પગલે ખુલ્લી થનારી કોઇ સાઇટની પસંદગી મોટા ભાગે કરવામાં આવશે.
ઉત્સવપ્રિય પાટનગરવાસીઓ કાગડોળે ઉતરાયણનાં તહેવારની રાહ જોઇ રહ્યા છે. તો બીજી તરફ ભુલકાઓ પતંગ
ચગાવવા માટે ઉતરાયણની રાહ જોઇ શકે તેમ પણ નથી. ઉતરાયણ પહેલા જ રજાનાં દિવસોમાં પાટનગરનાં આકાશે પતંગો
લટાર મારવા લાગી છે. જેને ધ્યાને લઇને શહેરમાં પતંગ-દોરીનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા પણ દોરીને રંગ પાવાની
તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. /જગમાલ સોલંકી
ઉતરાયણનેઆવકારવાપતંગ-દોરીનીતૈયારીઓ
વાઇબ્રન્ટ સમિટને ધ્યાને લઇને ગાંધીગનરમાં સફાઇ તથા સુશોભનની કામગીરી થઇ રહી છે. ગાંધીનગર શહેરમાં લોકોનાં
સ્વાસ્થયને ધ્યાને લઇને જાહેરમાં કચરો બાળીને પ્રદુષણ ફેલાવવાની મનાઇ છે. પરંતુ હાલ શહેરમાં ચાલી રહેલી સફાઇ
કામગીરીમાં મજુરો દ્વારા ઠેર ઠેર જાહેરમા કચરો બાળવામાં આવી રહ્યો છે. /કલ્પેશ ભટ્ટ
જાહેરમાંકચરોબાળી પ્રદુષણકરતીસફાઇ...
નવાવર્ષનીઉજવણી12નાટકોરેબંધથશેપાર્ટીપ્લોટ,ફાર્મહાઉસ,
ડિસ્કોથેકપરબાજનજર
રાખવાપોલીસનેઆદેશ
ભાસ્કરન્યૂઝગાંધીનગર
નવા વર્ષની ઉજવણીનું કાઉન્ટ-
ડાઉન શરૂ થઇ ગયું છે. ગાંધીનગર શહેર
અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખાનગી
પાર્ટીપ્લોટ, ફાર્મહાઉસ પર ન્યૂ ઇયર
પાર્ટીઓની ઉજવણી પર પોલીસને ખાસ
નજર રાખવા સૂચના આપવા ઉપરાંત 12
વાગે કાર્યક્રમો બંધ કરાવી દેવાની સુચના
આપવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગર
પોલીસને સતત પેટ્રોલીંગ કરવા સાથે
એલર્ટ રહેવાનો આદેશ પણ આપવામાં
આવ્યો છે.
જિલ્લા પોલીસ વડા અર્ચના
શિવહરેના જણાવ્યા પ્રમાણે લોકલ
ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ
ઉપરાંત શહેર-જિલ્લાની પોલીસને સતત
પેટ્રોલીંગ કરવાની સુચના આપવામાં
આવી છે. જિલ્લામાં હાઇ-વે પર આવેલા
ફાર્મ હાઉસ, ખાનગી પાર્ટીપ્લોટમાં ન્યૂ
ઇયર પાર્ટીઓની ઉજવણી દરમિયાન
કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે
માટે ખાસ તકેદારી રાખવા તાકીદ
કરવામાં આવી છે. ક્યાંય પણ દારૂ પીને
નબીરાઓ ન આવે તે માટે પણ ખાસ
ટુકડીઓ બનાવવા પોલીસને કહેવાયું છે.
જેના પગલે હાઇ-વે પર પણ સ્થાનિક
પોલીસ ઉપરાંત હાઇ-વે ટ્રાફીક પોલીસ
પેટ્રોલીંગ કરશે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં
મુખ્ય શહેરી વિસ્તારોમાં આવેલા તમામ
માર્ગો, શોપીંગ સેન્ટરો, બગીચાઓમાં
પણ ખાસ ધ્યાન આપવા સૂચના
આપવામાં આવી છે. જેના પગલે
જિલ્લાની તમામ પોલીસ મોડીરાત સુધી
પેટ્રોલીંગ કરશે. હાઇ-વે પર આવેલા
ફાર્મહાઉસ, ખાનગી પાર્ટીપ્લોટમાં
લુંટારૂઓ પણ ઘુસી ન જાય તે માટે ખાસ
ધ્યાન આપવામાં આવશે.
શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો
ઉપરાંત હાઇ-વે પરના સર્કલો પર
પોલીસ તમામ વાહનોનું ચેકીંગ કરશે.
પાર્ટી પ્લોટસની બહાર બાઉન્સરની
સાથે પોલીસ જવાનને રાખવા પણ
વિચારાશે. જિલ્લામાં નવા વર્ષની
ઉજવણીમાં લોકો શાંતિથી ભાગ લે તેવી
અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
નબીરાઓ દારૂ પીને રસ્તા પર ધમાલ
કરશે તો પોલીસ કોઇની પણ શરમ
રાખ્યા વિના તેઓને લોકઅપમાં પૂરી
દેશે અને ખાનગી ફાર્મહાઉસમાં ડાન્સ
પાર્ટીની સાથે દારૂની પાર્ટી ચાલતી હશે
તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી
કરવામાં આવશે.
શહેરમાંનિયમિતચકાચણીમાટે
બીડીએસની13ટીમોઉતારાઇવાઇબ્રન્ટનજીક આવવાની
સાથેસાથેસુરક્ષાજવાનોની
સંખ્યાવધી
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
શહેરમાં જાન્યુઆરી માસમાં
યોજાનાર વાઇબ્રન્ટ સમિટને ધ્યાને
લઇને સ્થાનિક પોલીસ તથા અન્ય
સુરક્ષા એજન્સીઓ સક્રિય બની ગઇ
છે. વાઇબ્રન્ટમાં પધારનાર મહેમાનોનાં
રૂટનાં માર્ગોની આસપાસ સફાઇ કરી
ખુણેખાચરે તપાસ કરવામાં આવી રહી
છે. જયારે હવે વાઇબ્રન્ટ સુધી નિયમિત
તપાસ માટે 13 ટીમો ઉતારી દેવામાં
આવી છે.
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ
દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા
પોલીસ તથા સુરક્ષા વિભાગની
કામગીરી દિન પ્રતિદીન વધી રહી છે.
પોલીસને તાલીમ આપવાથી માંડીને
નાકા બંધી કરી સઘન વાહન ચેકીંગ
સહિતની કામગીરી વધતી જાય છે.
વાઇબ્રન્ટ સમિટ સ્થળ તથા મહાત્માં
મંદિર ખાતે ચેતક કમાન્ડો સાથે સ્થાનિક
પોલીસ દ્વારા મોકડ્રીલો પણ યોજવામાં
આવી હતી.
ત્યારે હવે કોઇ ભાંગફોડ઼ીયા તત્વો
પોતાનો ગેરઇરાદો પાર ન પાડી જાય
તે દિશામાં પણ ખાસ ધ્યાન આપવામાં
આવી રહ્યુ છે. વાઇબ્રન્ટ દરમિયાન
વીઆઇપી મહેમાનોનાં વાહનો જે રૂટ
પરથી પસાર થવાનાં છે તથા પાર્ક
થવાનાં છે તે તમામ સ્થળો પર અગાઉથી
જ નજર રાખવી જરૂરી છે.
ગત દિવસોમાં બોમ્બ ડીસ્પોઝલ
સ્કવોડનાં જવાનો દ્વારા મહાત્માં મંદિર
તરફનાં માર્ગનું ખાસ સાધનો સાથે
નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ્ં.
આ ચેકીંગ નિયમિત ચાલુ રહે તે
માટે જુદા જુદા સ્થળોએથી 13 જેટલી
બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ બોલાવવામાં
આવી હોવાનું આધારભુત સુત્રો પાસેથી
જાણવા મળ્યુ છે. આ ટીમો દ્વારા જુદા
જુદા સ્થળોએ નિયમિત ચકાચણી
કરવામાં આવશે.
ચિલોડા-નરોડાહાઇ-વેસિક્સલેન
કરવારસ્તારોકોઆંદોલનચલાવાશેહાઇ-વેનાંઆસપાસનાં
ગ્રામ્યઆગેવાનોનીબેઠક
યોજાઇ
ભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
ગાંધીગનર જિલ્લામાંથી પસાર
થતા નેશનલ હાઇ-વે નં 8ની
પહોળાઇનાં અભાવે છાશવારે
સર્જાતા ગોઝારા અકસ્માતોનાં કારણે
નાગરીકોનો ભોગ લેવાઇ રહ્યો છે.
જયારે બીજી તરફ સરકારનાં પેટનું
પાણી પણ હલતુ નથી. ત્યારે હવે
આ માર્ગ સિક્સલેન કરવાની
માંગ સાથે આસપાસનાં ગ્રામજનો
રસ્તારોકો આંદોલન છેડવાનાં મુડમાં
છે. આ માંગને લઇને પ્રાંતિયા ખાતે
એક બેઠક યોજવામાં આવી હતી.
હિંમતનગરથી ગાંધીનગર
જિલ્લામાં પ્રવેશીને વાયા મોટા
ચિલોડા વાયા અમદાવાદ નરોડાને
જોડતો નેશનલ હાઇ-વે નંબર
8 જિલ્લામાંથી પસાર થતા વ્યસ્ત
માર્ગમાનો એક છે. રાજસ્થાન
તથા દિલ્હી તરફથી મધ્ય ગુજરાત
તથા મુંબઇ જતા વાહનો માટે આ
માર્ગ કાયમી ધોરણે ઉપયોગમાં
લેવામાં આવે છે. જેનાં કારણે આ
માર્ગ રાત-દિવસ લોડીંગ વાહનોથી
માંડીને મુસાફર વાહનોથી ધમધમતો
રહે છે. ચિલોડા તથા નરોડાને
જોડતો આ માર્ગ નેશનલ હાઇ-
વે હોવા છતા 20 કિલો મિટરનો
માર્ગ માત્ર ડબલપટ્ટીનો જ છે. જેનાં
કારણે ચિલોડા-નરોડા વચ્ચે છાશવારે
જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે.
આ માર્ગ પર છેલ્લા એક માસમાં
જ અકસ્માતોમાં 16 લોકોનો
ભોગ લેવાયો છે. પહોળાઈનાં
અભાવે સર્જાતા અકસ્માતોમાં
આસપાસનાં ગામડાઓમાં વસતા
અનેક નાગરીકોનાં મોત થયા છે.
આ માર્ગ પર લવારપુર પાટીયા
પાસે હજુ 4 દિવસ પહેલા જ કાર
તથા લકઝરી બસ વચ્ચે અકસ્માત
સર્જાતા કારમાં સવાર 4 યુવાનોનાં
ઘટના સ્થળે જ મોત થયા હતા.
વાહનોની વધતી સંખ્યાનાં કારણે
પ્રતિદીન અકસ્માતો પણ હજુ વધતા
જ રહેવાનાં પરંતુ સરકારનાં પેટનું
પાણી હલતુ નથી. આસપાસનાં
ગ્રામજનો પણ આ માર્ગ પહોળો
કરવા રજુઆત કરી ચુક્યા છે. તેમ
છતા આ દિશામાં કોઇ કામગીરી ન
થતા હવે આસપાસનાં ગ્રામજનો લડી
લેવાનાં મુડમાં છે. રોજ બરોજ આ
માર્ગનો ઉપયોગ કરતા આસપાસનાં
ગ્રામજનો દ્વારા આ માર્ગને ફોરલેન
અથવા સિક્સલેન કરવા માંગ
ઉઠાવવામાં આવી છે. આ બાબતને
લઇને ચિલોડા પાસેનાં પ્રાતિયા
ગામે 12ગામનાં આગેવાનોની
એક બેઠક મળી હતી. જેમાં સરકાર
સ મક્ષ વધુ એક રજુઆત કરીને
જો તાત્કાલીક કામ શરૂ ન થાય
તો રસ્તારોકો આંદોલન કરવા
સહિતની બાબતોની ચર્ચા કરવામાં
આવી હતી. આ બાબતને લઇને
આગામી તા 4થી જાન્યુઆરીનાં રોજ
વધુ એક બેઠક યોજીને અંતિમ નિર્ણય
લેવાયા બાદ પરીણામ નહી મળે તો
12થી વધુ ગામોનાં લોકો માર્ગ પર
આવી જશે.
ગાંધીનગરજિલ્લામાંથીપસારથતાડેથઝોનબનેલાનેશનલહાઇ-વેનં8સામેરોષ
બોટાદ | બોટાદના વી.એમ.સાકરિયા મહિલા
કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના એકમ અને બોટાદ
નગર સેવા સદન દ્વારા ગાંધીજીની 150 જન્મ જયંતી
નિમિત્તે સ્વચ્છ ભારત નિર્માણના ભાગરૂપે સાકરિયા
મહિલા કોલેજના પ્રિન્સીપાલ ડો. શારદાબેન
ડી.પટેલના માર્ગદર્શન હેઠળ બોટાદના લોકોમાં
સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવાય એવા આશયથી
સ્વચ્છતા અભિયાન ઝુંબેશનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં ગોકુલ મેડીકલ
રોડની સફાઇ કરાઇ હતી. આ સફાઇ કાર્યમાં રા.સે.
યો.ની 96 સ્વયંસેવિકાઓ જોડાઇ હતી. પ્રોગ્રામ
ઓફીસર ડો. સી.બી.રાઠવા, જે.જે.સોઢા, બી.એચ.
ભટ્ટ અને એમ.વી. સોંદરવાએ જહેમત ઉઠાવી હતી
અને આ સફાઇ અભિયાન કાર્યક્રમને સફળ બનાવ્યો
હતો.
કોલેજદ્વારાસ્વચ્છતાઅભિયાન
ગાંધીનગર | નેશનલ કોન્ફરન્સ ઓફ ઇન્ડીયન
મેડીકલ એશોશીએસન દ્વારા યોજવામાં આવેલા
વાર્ષિક સમારોહમાં આઇએમએ ગાંધીનગરનાં પ્રમુખ
ડૉ અનિલભાઇ ચૌહાણને વાય ટી પટેલ બેસ્ટ રૂરલ
કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
હતો. આઇએમએ ગાંધીનગર સતત બે વર્ષથી એવોર્ડ
જીતી રહ્યુ છે. તસ્વીર કલ્પેશ ભટ્ટ
આઇએમએદ્વારાએવોર્ડ
બોટાદ | બોટાદના ભાવનગર રોડ પર આવેલા નૈતિક
જીગર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.એ.કળથિયા
વિદ્યાભવનમાં 27-12-2014ને શનિવારના રોજ
અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ધોરણ-1થી 4
માટે ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ આયોજિત
રંગપુરાણી હરિફાઇ યોજવામાં આવી હતી. જેમાં
396 વિદ્યાર્થીઓએ ભાગ લઇ પોતાની કલા બહાર
લાવવાનો પ્રયત્ન કરેલો હતો.
રંગપુરાણી-હેલ્પર્સડેનીઉજવણી
ગાંધીનગર | શહેરમાં આગામી દિવસોમાં યોજાનાર
ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનાં પગલે શહેરનાં
માર્ગોને રોગાન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે શહેરનાં
માર્ગો પર ઉભા કરાયેલા કાટ ખાઇ રહેલા એસ ટી
સ્ટેન્ડોનાં દિવસો પણ બદલાઇ રહ્યા છે. આંબા પાછળ
એરંડો પણ પાણી પીવે તે રીતે વાઇબ્રન્ટના બહાને
શહેરનાં એસટી સ્ટેન્ડોને પણ રંગ રોગાન કરવામાં
આવી રહ્યુ છે. તસ્વીર કલ્પેશ ભટ્ટ
એસટીસ્ટેન્ડોને વાઇબ્રન્ટનોરંગ
સેક્ટર2ડીમાંમધરાત્રેચોરીનોપ્રયાસભાસ્કરન્યૂઝ.ગાંધીનગર
ગાંધીનગર શહેરમાં એક તરફ
શિયાળુ ઠંડી પ્રકોપ વરસાવી રહી છે
ત્યારે બીજી તરફ પોલીસ વાઇબ્રન્ટની
કામગીરીમાં વ્યસ્ત છે. જેનાં કારણે
શહેરમાં તસ્કરોનો રંજાડ વધવા
લાગ્યો છે. દરમિયાન શનિવારની
મધરાતે સેકટર 2ડીમાં ત્રાટકેલી
તસ્કર ટોળકીએ એક મકાનને
નિશાન બનાવી ગ્રીલ તોડવાનો
પ્રયાસ કર્યો હતો. પરંતુ મકાન
માલીકનો પુત્ર આવી જતા નાસી
ગયા હતા.
શહેરમાં તાપમાનનો પાસે નિચો
જતા ઠંડીનાં પગલે રાત્રે શહેરનો
માહોલ શાંત બનવા લાગ્યો છે.
શહેરીજનો ઠંડીથી બચવા રાત્રી
દરમિયાન કામ સિવાય બહાર
નિકળવાનું ટાળી રહ્યા છે. જેનો
ગેરલાભ તસ્કરો ઉઠાવવા લાગ્યા છે.